Gujarat News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકા અને રાજકોટના પ્રવાસે છે. સૌરાષ્ટ્રના જીલ્લાઓને એક જ દિવસમાં 52 હજાર કરોડથી પણ વધુ કામોના લાભો મળશે. તેઓ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. પીએમ મોદી અત્યારે દ્વારકા પહોંચ્યા છે. દેશને 4 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. તેમજ બેટ દ્વારકામાં દ્વારકાધીશની પૂજા અને દર્શન કરશે.
આ પછી બપોરે 3.30 વાગ્યે પીએમ મોદી AIIMS રાજકોટ પહોંચશે. ત્યાંથી તેઓ સાંજે 4:30 કલાકે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રૂપિયા 48,100 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
આ પણ વાંચો:શું PASAમાં પકડાયેલા મૌલાના અઝહરીનો જેલવાસ લાંબો ચાલશે…
આ પણ વાંચો:અશ્વિને ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ રેકોર્ડ બનાવ્યો, જાણો ક્રિકેટ જગતની 10 મોટી ઘટનાઓ