Gujarat News: રાજ્યની આયુર્વેદ કોલેજોના જોડાણ રદ કરવામાં આવ્યા છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ સખ્ત કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યમાં આવેલી અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહિસાગર, કલોલ, ગોધરામાં 6 આર્યુવેદ કોલેજોના જોડાણને રદ કરવામાં આવ્યા છે. અમદાવાદની સરકારી આયુર્વેદ કોલેજ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરની સરકારી અખંડાનંદ કોલેજ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આવેલી અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહિસાગર, કલોલ અને ગોધરામાં 6 આર્યુવેદ કોલેજોના જોડાણને રદ કરવામાં આવ્યા છે જેથી 26 કોલેજોમાં જ આયુર્વેદિકનું શિક્ષણ આપવામાં આવશે. મેડિકલના વિદ્યાર્થીઓ માટે હવે 330 બેઠકો ઓછી થશે. યુનિવર્સિટીના કુલપતિના જણાવ્યા મુજબ, શિક્ષણની જરૂરી સુવિધાનો અભાવ હોવાને કારણે કોલેજો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:વરૂણ ગાંધીને જો ભાજપની ટિકિટ ન મળે તો અપક્ષ તરીકે પીલીભીતથી ચૂંટણી લડવાની અટકળો
આ પણ વાંચો:રાજ્યમાં ગરમી મચાવશે કહેર, આ 3 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી માટે AIADMKએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર