અમરેલી,
અમરેલીના સાવરકુંડલામાં એક યુવકે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે. તેમજ સીએમ રૂપાણીને પત્ર પણ લખ્યો છે. કમલેશ યાદવ નામના યુવકે પોતાની જમીન પચાવી પાડવાની ઘટનામાં યોગ્ય કાર્યવાહી ન કરાતા આ પત્ર સીએમ રૂપાણીને લખ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કમલેશ નામના યુવકની જમીન તેના પરિવારજનોએ જ પચાવી પાડી છે. જમીનના ખોટા દસ્તાવેજો બનાવીને પરિવારજનોએ તેની સાથે છેતરપિંડી કરતાં આ યુવક ચિંતામાં ગરકાવ થયો હતો. ત્યારે હવે પોતાના હકની જમીન મળે તે માટે સીએમને પત્ર લખ્યો છે અને આત્મહત્યાની ચીમકી આપી.