Amreli/ અમરેલીમાં ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર, સામે આવ્યું પ્રાથમિક તારણ

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામના ખેડૂતની થઈ છે ત્યારે છતડિયાના ખેડૂતે કેમ આપઘાત કર્યોને  આપઘાત કરવાનું કારણ શું..

Gujarat Others
ખેડૂતે

@પરેશ પરમાર

એક તરફ ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો થઈ રહી છે તો બીજે છેડે કાળી મજૂરી કરીને પેટે પાટા બાંધીને ખેતી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા ખેડૂતોની આર્થિક સંકડામણની સીમાઓ છે ને ખેતી કરવા ધિરાણ લોન લઈને ખેતી કરતા ખેડૂતોની ખેતીમાં ઉપજ અને પોષણ શમ ભાવો સામે ખેડૂતોને વ્યાપક નુકશાની જતી હોય ત્યારે ખેડૂતોના છૂટકે બેંક ધિરાણ અને લોન ભરવાની કપરી સ્થિતિ વચ્ચે આપઘાત કરવાની ઘટનાઓ ઘટતી હોય છે આવી જ આપઘાત કરવાની ઘટના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામના ખેડૂતની થઈ છે ત્યારે છતડિયાના ખેડૂતે કેમ આપઘાત કર્યોને  આપઘાત કરવાનું કારણ શું..

આ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું છતડિયા ગામ છતડિયા ગામના ખેડૂત બાલાભાઈ ઓધવજીભાઈ નાડોદ્રા 3 વીઘા ની ખેતી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા પણ ખેતી કરવા અગાઉ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક માંથી લોન લીધેલ હતી જે લોન ભરપાઈ કરી શકવાની ખેડૂતની હાલત હાલ ના હોય અને બેંકની નોટીસ આવતી હોય જેમાં હાલ 3 લાખ 59 હજાર બાકી લેણા. ભરવાની નોટીસ મળી હતી જે ખેડૂતને ભરવાની અશમતાને કારણે પોતાના ઘરે દોરડા વળે ગળેફાંસો ખાઇ ને મોત મીઠું કરી લીધું હતું ને સવારે ઘરના સભ્યોને જાણ થતાં તાત્કાલિક 108 વડે ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવેલ જ્યાં ડોકટર એ મૃત જાહેર કર્યા હતા ત્યારે પોલીસને મૃતક ખેડૂત બાલાભાઈ નાડોદ્રા ના ખિચાં માંથી નોટીસ પણ મલી હતી જે પોલીસે કબજો લઈને આગળની તપાસ હાથ ધરી હતી ને મૃતક ખેડુતના પરિજનોએ બેંક ધિરાણ ને કારણે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું.

બાલાભાઈ નાડોદ્રા એ બેંક ધિરાણ ના ભરી શકવાને કારણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પરિજનો જણાવી રહ્યા છે જ્યારે ધારી ડિવિઝન ના dysp હરેશ વોરા એ હાલ આર્થિક સંકડામણ ને કારણે પગલું ભર્યું હોવાનું જણાવી આગળની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

એક તરફ ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરતી સરકાર માં ખેડૂતોને આર્થિક સંકડામણ અને બેંક ધિરાણ ની નોટીસ મળવાથી આપઘાત કરવાનો કિસ્સો અમરેલી જિલ્લામાં સામે આવ્યો છે ત્યારે ખેડૂતોની મુશ્કેલી અને કહેવાતા જગતના તાત ની આર્થિક મુશ્કેલીઓથી નાસીપાસ થઈને ખેડૂતો આપઘાત કરી રહ્યા હોય ત્યારે સરકાર દ્વારા આવા ખેડૂતો અંગે પણ કંઈક વિચારે તે વધુ ઈચ્છનીય છે.


whatsapp ad White Font big size 2 4 અમરેલીમાં ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર, સામે આવ્યું પ્રાથમિક તારણ


આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવાની ફરજ ના પાડે, શાળાના સંચાલકો માટે ખાસ પરિપત્ર

આ પણ વાંચો:અમરાઈવાડીમાં એસિડ એટેક, યુવતીને આપેલી ધમકીનું ઓડિયો રેકોર્ડિંગ આવ્યું સામે

આ પણ વાંચો:ગાય,ગંદકી અને રાજકારણ, પ્લાસ્ટિક ખાવાથી ગાયો મરે છે

આ પણ વાંચો:ઘર કંકાસમાં સગા પુત્રોએ લાકડી અને કોદાળીના ઘા ઝીકી પિતાની કરી હત્યા