હવે IPL 2021 માં તે મેચનો સમય આવી ગયો છે, જેમા વિરાટ કોહલીની આગેેવાની હેઠળની RCB અને એમએસ ધોનીનાં નેતૃત્વમાં CSK નો સામનો કરશે. આ IPL સીઝનની વાત કરીએ તો બંને ટીમો ટોચ પર છે અને પ્લેઓફમાં જવા માટે પ્રબળ દાવેદાર છે. IPL 2021 નાં પહેલા તબક્કા પછી, એમએસ ધોનીની CSK આ તબક્કામાં પણ સારું પ્રદર્શન કરી રહી છે.
આ પણ વાંચો – IPL 2021 / KKR એ મેચ તો જીતી પણ નિયમનું ન રાખ્યું ધ્યાન, થયો 24 લાખ રૂપિયાનો દંડ
વળી, પ્રથમ તબક્કા પછી, બીજી RCB ટીમ તે ફોર્મમાં દેખાતી નથી. વિરાટ કોહલી માટે તે મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ ટીમ હજુ ત્રીજા નંબરે 10 પોઇન્ટ ધરાવે છે. બીજી બાજુ, જો આપણે એમએસ ધોનીની વાત કરીએ તો ટીમે પ્રથમ મેચ ચોક્કસપણે જીતી છે, પરંતુ ટીમ સામે મોટી સમસ્યા છે. તેમને આનો સામનો કરવો પડશે, નહીં તો તે એક મોટી સમસ્યા બની શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમી હતી. CSK એ આ મેચ 20 રનથી જીતી હતી. pa ks મેચ ચોક્કસપણે જીતી હતી, પરંતુ એક સમયે એવું લાગતું હતું કે CSK માટે આ મેચ જીતવી મુશ્કેલ બની જશે. તેનું કારણ ત્રણ બેટ્સમેન હતા. તે ઉપરનાં ક્રમનાં બેટ્સમેન છે. CSK નાં ઓપનર ફાફ ડુ પ્લેસિસ ફિટ થઈ ગયા અને મેચમાં રમ્યા, ટીમ માટે આ સારા સમાચાર હતા, પરંતુ તે આ મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો નહીં. એટલું જ નહીં, ત્રીજા નંબરે રમવા આવેલા મોઈન અલી પણ શૂન્ય પર આઉટ થયો, એટલે કે તે પણ પોતાનું ખાતું ખોલાવી શક્યો નહીં. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા અંબાતી રાયડુ અણનમ રહ્યો હતો, પરંતુ તે પોતાનું ખાતું ખોલાવી શક્યો નહતો. તેને હાથમાં ઈજા થઈ હતી અને તે કોઈ રન બનાવ્યા વગર પરત ફર્યો હતો. આ ત્રણેય બેટ્સમેનોએ ત્રણ બોલનો સામનો કર્યો હતો. હવે આ તબક્કાની બીજી મેચ પહેલા, તે સ્પષ્ટ નથી કે અંબાતી રાયડુ સંપૂર્ણપણે સ્વસ્થ થયો છે કે નહીં. હવે આ તકલીફથી CSK કેપ્ટનનાં કપાળ પર ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
આ પણ વાંચો – IPL 2021 / આજે છે CSK vs RCB નો મુકાબલો, જાણો Free માં કેવી રીતે જોઇ શકો છો Live મેચ
જ્યારે CSK ટીમ બેટિંગ માટે મેદાનમાં આવી ત્યારે પહેલી વિકેટ એક રન પર પડી હતી, જ્યારે બીજી વિકેટ પડી ત્યારે ટીમનો સ્કોર બે રન હતો. આવી સ્થિતિમાં ટીમ પર સંકટનાં વાદળો ઘેરાવા લાગ્યા, જે બાદ ધોનીએ જે રીતે બોલિંગ બદલી અને ફીલ્ડ ગોઠવી, જેની સામે મુંબઈ ઈન્ડિયન્સનાં બેટ્સમેનો અટવાઈ ગયા હતા. આ સાથે જ ટીમ માટે એ પણ રાહતની વાત હતી કે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા રમી રહ્યા નથી. પરંતુ વિરાટ કોહલી ધોનીને જીતની કોઈ તક આપશે તેવી શક્યતા ઓછી છે. આ પહેલા આ IPL નાં પહેલા તબક્કામાં ધોનીની ટીમે વિરાટની ટીમને હરાવી હતી, સ્વાભાવિક છે કે વિરાટ કોહલી આ હારનું વળતર અહીં લેવા માંગશે. જણાવી દઇએ કે, CSK vs RCB મેચ અત્યંત રસપ્રદ રહેશે. બંને ટીમો એકબીજાને ટક્કર આપવાના મૂડમાં છે, મેચ જીતવા અને પ્લેઓફ માટે પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.