દ્વારકા,
દ્વારકામાં એક ખેડૂતો આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. આ ખેડૂતે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ખંભાળીયાન ભાતેલ ગામની આ ઘટના છે કે, જ્યાં 49 વર્ષીય હનુભા જાડેજાને ખેતરમાં પાક નિષ્ફળ જાય તેનો ડર હતો. જેને લઇને તે ડિપ્રેશનમાં આવી ગયા હતા. વધુ પડતાં ડિપ્રેશનમાં આવી જતાં તેમણે થોડાક દિવસ પહેલા ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.