મુંબઇ
બોલીવુડના સંસ્કારી ડાયરેક્ટ સૂરજ બડજાત્યા ૨૨ ફેબ્રુઆરીએ 53 વર્ષના થયા ગયા છે. સુરજ બડજાત્યા બોલીવુડમાં ફેમેલી ડ્રામા પર ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. સુરજ બડજાત્યાએ કરિયરની પહેલી ફિલ્મ ‘મેને પ્યાર કિયા‘ બનાવી હતી. સલમાનને સ્ટારડમ અપાવનારી આ ફિલ્મ પછી જ તેનું નામ ઘરે ઘરે જાણીતું થયું હતું. આ ફિલ્મમાં સલમાનને પ્રેમ નામ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મ પછી સલમાન પ્રેમ નામથી જ ઓળખાવવા લાગ્યો હતો.
૧૯૯૪માં સૂરજની ફેમેલી ડ્રામાવાળી ફિલ્મ ‘હમ આપ કે હૈ કૌન’ આવી તેમાં પણ સલમાને પ્રેમ નામ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મ જૂની ‘નદીયા કે પાર‘ ‘ની રીમેક માનવામાં આવે છે. સૂરજ બડજાત્યાએ અનેક ફેમીલીવાળી ફિલ્મો બનાવી છે. જેમ કે ‘હમ સાથ સાથ હૈ’ આ ફિલ્મમાં તબુ, સલમાન, અભિષેક, સેફ અલી ખાન, કરિશ્મા, જેવા નામી કલાકારો જોવા મળ્યા હતા.
થોડાક સમય પછી સૂરજે સલમાનને બ્રેક આપી હ્રીતિક રોશન અને અભિષેક બચ્ચનને લઇને ‘મૈં પ્રેમ કી દીવાની હું’ ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં પણ બંને હીરોના નામ પ્રેમ હતા. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી નહોતી.
સુરજ બડજાત્યાએ એ પછી શાહિદ કપૂરને લઇને વિવાહ બનાવી અને તેમાં પણ શાહીદનું નામ પ્રેમ હતું.
સૂરજે ફરી એક વાર ઓરીજીનલ પ્રેમ એટલે કે સલમાન સાથે ૨૦૧૫માં ‘પ્રેમ રતન ધન પાયો’ બનાવી. બોક્સ ઓફિસને તેનો જુનો પ્રેમ સલમાન મળી ગયો અને આ ફિલ્મ બોક્સ ઓફિસ સુપરહીટ સાબિત થઇ. દર્શકોને સલમાનને પ્રેમના રૂપમાં પરત જોઈ ખુબ પસંદ કરવામાં આવ્યો.