નવસારી/ ‘કોંગ્રેસનો કોઈ ડર નથી, આપણા જ લોકોનો ડર છે’: નરેશ પટેલ

ધારાસભ્ય નરેશ પટેલે વાંસદામાં આજદિન સુધી ક્યારેય ભાજપ જીતી ન હોવાથી દુઃખી થયા હતા.

Top Stories Gujarat Others
ધારાસભ્ય નરેશ
  • નવસારી: ધારાસભ્ય નરેશ પટેલનો બળાપો
  • નરેશ પટેલે સ્નેહ મિલન કાર્યક્રમમાં ઠાલવ્યો બળાપો
  • સાંસદની હાજરીમાંજ સ્ટેજ પરથી બળાપો ઠાલવ્યો

Navsari News: વાંસદામાં ભાજપ દ્વારા તાલુકા કક્ષાનો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ધારાસભ્ય નરેશ પટેલે વાંસદામાં આજદિન સુધી ક્યારેય ભાજપ જીતી ન હોવાથી દુઃખી થયા હતા. મંચ પરથી આપેલા ભાષણમાં ગણદેવીના પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે કહ્યું કે અમને કોંગ્રેસનો કોઈ ડર નથી. આપણે આપણા જ નડે છે.

સ્નેહ મિલનના સ્ટેજ પર વ્યથા ઠાલવતા પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે કહ્યું કે, “કોંગ્રેસ નો કોઈ   ડર નથી, આપણા જ આપણને નડે છે, આ લોકોને સમયે હું ઓળખી ન શકયો તેનો અફસોસ છે.”લોકસભા ચુંટણીની તૈયારી વચ્ચે ધારાસભ્ય નરેશ પટેલે કેટલાક  સૂચક પણ સ્ફોટક  નિવેદન કરતા જિલ્લાના રાજકારણમાં હડકંપ મચી ગઇ છે.

નરેશ પટેલે સ્નેહ મિલન કાર્યક્રમમાં વાંસદા બેઠક ન કબજે કરવાને કારણે હોબાળો મચાવ્યો હતો. ગણદેવી બેઠકના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે નાણામંત્રી સાંસદની હાજરીમાં સ્ટેજ પરથી હંગામો મચાવ્યો હતો. કોંગ્રેસને ટક્કર આપવાનો પ્રયાસ કરી રહેલા નરેશ પટેલે પોતાના જ પક્ષના કાર્યકરો પર પ્રહારો કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 'કોંગ્રેસનો કોઈ ડર નથી, આપણા જ લોકોનો ડર છે': નરેશ પટેલ


આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ

આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા