#Indian_government/ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માસિક બચત પર મળશે સારું વળતર, જાણો વિગત

પોસ્ટઓફિસની સ્કીમમાં રોકાણ વધુ સુરક્ષિત. લોકો શેરબજારથી લઈને એફડી સુધી મોટી સંખ્યામાં જોખમની ક્ષમતા અનુસાર અલગ-અલગ જગ્યાએ રોકાણ કરે છે.

Trending India
Beginners guide to 2024 04 20T161847.977 પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માસિક બચત પર મળશે સારું વળતર, જાણો વિગત

શેરબજારથી લઈને એફડી સુધી, ભારતના મોટી સંખ્યામાં લોકો તેમની જોખમની ક્ષમતા અનુસાર અલગ-અલગ જગ્યાએ રોકાણ કરે છે. જે લોકો જોખમ ટાળવા માંગે છે, તેઓ સરકારી યોજનાઓમાં રોકાણ કરે છે. મોટાભાગના લોકો પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આવી સ્થિતિમાં, અમે તમને પોસ્ટ ઓફિસની આવી જ એક યોજના વિશે માહિતી આપી રહ્યા છીએ, જે તમને 80,000 રૂપિયાનું વળતર ગેરંટી આપશે.

આ સ્કીમમાં મળશે સારું વળતર

આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં, તમારે એકસાથે પૈસા જમા કરાવવાની જરૂર નથી. તમે દર મહિને તમારા પગારમાંથી બચત કરીને રોકાણ કરી શકો છો. આ સ્કીમ પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ છે, જે વાર્ષિક 6.7 ટકા વ્યાજ આપે છે. કોઈપણ નાગરિક આ યોજના હેઠળ રોકાણ કરીને નફો કમાઈ શકે છે.

સગીર ના નામે પણ ખાતું ખોલાવી શકશો
દર મહિને રોકાણ કરવાની આ સ્કીમ જોખમ મુક્ત છે અને તમે પોસ્ટ ઓફિસ આરડીમાં ઓછામાં ઓછા 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો, જ્યારે તેની કોઈ મહત્તમ મર્યાદા નથી. આરડીમાં સગીર ના નામે પણ ખાતું ખોલાવી શકાય છે. જો કે, આમાં માતાપિતાએ દસ્તાવેજની સાથે તેમના નામ પણ આપવા જરૂરી છે.

સારું વળતર કેવી રીતે મળશે
જો તમે પોસ્ટ ઓફિસ આરડીમાં દર મહિને 7000 રૂપિયાનું રોકાણ કરો છો, તો પાંચ વર્ષમાં કુલ 4,20,000 રૂપિયાનું રોકાણ થશે. પાંચ વર્ષ પછી જ્યારે પાકતી મુદત પૂરી થશે ત્યારે રૂ. 79,564નું વ્યાજ મળશે. આનો અર્થ એ છે કે તમને કુલ રકમ 4,99,564 રૂપિયા મળશે.

જો તમે 5,000 રૂપિયાની RD કરો છો, તો એક વર્ષમાં કુલ 60,000 રૂપિયા જમા થશે અને પાંચ વર્ષમાં કુલ 3 લાખ રૂપિયા જમા થશે. આવી સ્થિતિમાં, પાંચ વર્ષ પછી તમને 6.7 ટકાના દરે 56,830 રૂપિયાનું વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ 3,56,830 રૂપિયા મળશે.

દર ત્રણ મહિને વ્યાજ બદલાય છેઃ
પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ હેઠળ સરકાર દર ત્રણ મહિને વ્યાજ બદલાય છે. પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ હેઠળ મળેલા વ્યાજ પર TDS કાપવામાં આવે છે, જે ITR ક્લેમ કર્યા પછી આવક પ્રમાણે રિફંડ કરવામાં આવે છે. RD પર મળતા વ્યાજ પર 10 ટકા TDS લાગુ પડે છે. જો RD પર મળતું વ્યાજ 10 હજાર રૂપિયાથી વધુ હોય તો TDS કાપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વમાં ટીડીઓના મેળાપીપણામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો

આ પણ વાંચો:બેંક મેનેજરે બેંક સાથે કરી છેતરપિંડી, 15 કરોડનો દંડ અને સાત વર્ષની કેદ

આ પણ વાંચો:ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ

આ પણ વાંચો:ગીર સોમનાથમાં શિક્ષિકાનું અમાનવીય વર્તન, બાળકીને હોસ્પિટલાઇઝ કરવી પડી