અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્ટેશન પર ફેલાયેલી ગંદકી અને તેની ખરાબ હાલત સ્પષ્ટ દેખાઈ રહી છે. આ પોસ્ટે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જ બનેલા આ રેલ્વે સ્ટેશનમાં ઘણી નવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.
અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનની સ્થિતિ
Give the World Class Facilities and Infrastructure to People and They Will Ruin It
This is Newly Opened Ayodhya Dham Railway Station, Feels So Terrible To See This
Hope People Learn Basic Civic Sense pic.twitter.com/4Z0kIQT7Fx
— Ravisutanjani (@Ravisutanjani) March 21, 2024
વાયરલ થઈ રહેલી આ ક્લિપમાં સ્ટેશનની હાલત જોઈને તમે ચોંકી જશો. સ્ટેશન પર સોપારીના ડાઘ અને ફેંકેલા ફૂડ પેકેટ પણ દેખાય છે. કપડા સુકવવા માટે પણ લોકો રેલિંગનો ઉપયોગ કરી રહ્યા છે. રેલવે સ્ટેશનની આ હાલત જોઈને યુઝર્સ પણ સામાન્ય નાગરિક પર સવાલો ઉઠાવી રહ્યા છે.
આ વીડિયો @Ravisutanjani દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સાથે તેને લખ્યું- લોકોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપો અને તેઓ તેને બરબાદ કરી દેશે. આ નવનિર્મિત અયોધ્યાધામ રેલ્વે સ્ટેશન છે. આ જોવા માટે ભયંકર છે. આશા છે કે લોકો મૂળભૂત નાગરિક સમજ સમજશે.
આ પણ વાંચો:યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…
આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ
આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર