MP Assembly Elections 2023: મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને (BJP)ને એક મોટો ઝટકો લાગ્યો છે. ભાજપથી નારાજ કોલારસના ધારાસભ્ય વીરેન્દ્ર રઘુવંશીએ આખરે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવાની સાથે તેમણે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના સમર્થક મંત્રીઓ પ્રદ્યુમન સિંહ તોમર અને મહેન્દ્ર સિંહ સિસોદિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રક્ષાબંધનનો તહેવાર પૂરો થતાં જ મધ્યપ્રદેશનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.
કોલારસના ધારાસભ્ય વીરેન્દ્ર રઘુવંશીએ ભાજપમાંથી રાજીનામું આપીને 3 વર્ષના કાર્યકાળ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપના 3 વર્ષના કાર્યકાળમાં કોલરસમાં ભ્રષ્ટ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. તેમણે આ અંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પણ ફરિયાદ કરી હતી, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહીં. વીરેન્દ્ર રઘુવંશીએ પણ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
ભવિષ્યમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે
વીરેન્દ્ર રઘુવંશીએ કહ્યું કે, “જ્યોતિરાદિત્ય સિંધિયા બીજેપીમાં જોડાયા બાદ ભારતીય જનતા પાર્ટીના રીતરિવાજો અને નીતિઓમાં પરિવર્તન આવ્યું છે. તેમના ભ્રષ્ટ મંત્રીઓને કારણે તેઓ ભાજપમાંથી રાજીનામું આપી રહ્યા છે. તેમણે પ્રદ્યુમન સિંહ તોમર અને મહેન્દ્ર સિંહ સિસોદિયા પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા. હાલમાં વીરેન્દ્ર રઘુવંશીએ અન્ય કોઈ પાર્ટીમાં જોડાવાની વાત નથી કરી, પરંતુ માનવામાં આવે છે કે ભવિષ્યમાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને શિવપુરીથી ચૂંટણી લડી શકે છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાના કારણે કોંગ્રેસ છોડી
ધારાસભ્ય વીરેન્દ્ર રઘુવંશીએ કહ્યું કે, તેઓ કોંગ્રેસમાં હતા પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાથી નારાજ થઈને ભાજપમાં જોડાયા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ભાજપમાં જોડાયા, જેના કારણે તેમણે ભાજપ છોડવું પડ્યું. રઘુવંશીએ કહ્યું કે અઢી વર્ષથી તેઓ જનતા માટે કામ કરી રહ્યા છે અને વિકાસ માટે પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયા તરફી મંત્રીઓ તેમના દરેક વિકાસ કાર્યમાં અવરોધો ઉભા કરતા રહ્યા. તેમની સામે નકલી એફઆઈઆર દાખલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તમામ કારણોસર તેઓ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી રહ્યા છે.
આ પણ વાંચો:બેંગલુરુમાં ISRO વૈજ્ઞાનિક પર હુમલો, અધવચ્ચે જ રોકી કાર; જુઓ વીડિયો
આ પણ વાંચો: પૃથ્વીથી આટલા લાખ KM દૂર જઈને આદિત્ય-L1 કરશે સૂર્યની સ્ટડી