શ્રીનગરમાં અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. સોમવારે સવારે આઈટીબીપીના જવાનો એક ખાનગી બસમાં સવાર થઈને શ્રીનગરથી જમ્મુ જઈ રહ્યા હતા. આ દરમ્યાન બસ ખીણમાં પડી ગઈ હતી.
આ બસમાં કુલ ૩૫ લોકો સવાર હતા.
સ્થાનિક લોકો અને સુરક્ષાબળ દ્વારા બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું.
આ અકસ્માતને લીધે ૨૪ લોકો ઘાયલ થયા છે જયારે ૧ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે.