Not Set/ વાજપેયીની શોકસભામાં નહિ સામેલ થાય ટીએમસી, કોંગ્રેસ અને સીપીએમ

પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ ટીએમસી, કોંગ્રેસ અને સીપીએમએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની શોકસભામાં સામેલ નહિ થાય. આ શોકસભા બુધવારે કોલકાતામાં આયોજિત કરવામાં આવશે. આ શોકસભાનું આયોજન ભાજપ પ્રદેશ એકમ દ્વારા કરવામાં આવ્યું છે. ત્રણે દળોએ કહ્યું છે કે તેઓ નવી દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય એકમ દ્વારા આયોજિત શોકસભમાં સામેલ થઇ ચુક્યા છે. આ કારણે એમને સ્થાનિક […]

Top Stories India
712682 atal bihari vajpayee lead વાજપેયીની શોકસભામાં નહિ સામેલ થાય ટીએમસી, કોંગ્રેસ અને સીપીએમ

પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ ટીએમસી, કોંગ્રેસ અને સીપીએમએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની શોકસભામાં સામેલ નહિ થાય. આ શોકસભા બુધવારે કોલકાતામાં આયોજિત કરવામાં આવશે. આ શોકસભાનું આયોજન ભાજપ પ્રદેશ એકમ દ્વારા કરવામાં આવ્યું છે.

tmc flag 759 e1535541156843 વાજપેયીની શોકસભામાં નહિ સામેલ થાય ટીએમસી, કોંગ્રેસ અને સીપીએમ

ત્રણે દળોએ કહ્યું છે કે તેઓ નવી દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય એકમ દ્વારા આયોજિત શોકસભમાં સામેલ થઇ ચુક્યા છે. આ કારણે એમને સ્થાનિક રીતે આયોજિત શોકસભામાં સામેલ થવાની જરૂર નથી. ભાજપના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિંહાએ કહ્યું કે રાજ્યમાં ત્રણે દળોનો ફેંસલો એમની વચ્ચેની સાંઠગાંઠ સાબિત કરે છે.

CPM FLAG REUTERS e1535541191589 વાજપેયીની શોકસભામાં નહિ સામેલ થાય ટીએમસી, કોંગ્રેસ અને સીપીએમ

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટે નવી દિલ્હીમાં નિધન થયું હતું. એમના અંતિમ સંસ્કાર સ્મૃતિ સ્થળે કરવામાં આવ્યા હતા. આ સ્થળને રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ નામ આપવામાં આવ્યું છે. વળી, ભાજપે નિર્ણય લીધો હતો કે તેઓ અટલ બિહારી વાજપેયીની અસ્થિઓનું વિસર્જન દેશની 100 નદીઓમાં કરશે. દરેક રાજ્યના ભાજપ એકમ રાજ્યમાં શોકસભાનું આયોજન કરશે.

congress3 1528257172 વાજપેયીની શોકસભામાં નહિ સામેલ થાય ટીએમસી, કોંગ્રેસ અને સીપીએમ

અટલ બિહારી વાજપેયીનું 94 વર્ષની ઉંમરે નિધન થયું હતું. વાજપેયી બે વાર ભારતના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. તેઓ એક કવિ રૂપે જાણીતા છે. તેઓ પહેલા ભારતીય પ્રધાનમંત્રી હતા, જેમણે સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક બેઠકમાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું. અટલ બિહારી વાજપેયીએ અમૃતસરથી લાહોરની બસ સેવા શરુ કરી હતી.