Sports News: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ ફરી એક વાર કમેન્ટ્રીની દુનિયામાં પરત ફર્યા છે. રાજનીતિ અને બીજી બધી સમસ્યાઓને છોડી નવજોત સિંહ આઈપીએલમાં કમેન્ટ્રી કરતા જોવા મળશે. જોકે, તેઓ ઘણા સમયથી ક્રિકેટથી દૂર હતા. એટલે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે નવજોત સિંહ સિદ્ધુ લોકસભાની ચૂંટણી નહીં લડે.
નવજોત સિંહ સિદ્ધુ IPL 2024માં કમેન્ટેટરોમાં સામેલ થશે. તેમની કમેન્ટ્રી કરવાની અનોખી શૈલી પ્રેક્ષકોને ખૂબ જ ગમી છે. રમતની વચ્ચે પોતાની શાયરી, જોક્સ પણ સંભળાવતા જોવા મળ્યા છે. નવજોત સિંહ સિદ્ધુ સ્ટાર સ્પોર્ટ્સ પર કમેન્ટ્રી કરતા જોવા મળશે. જોકે, તેઓ કઈ ભાષામાં કમેન્ટ્રી કરશે તે જાણવા મળ્યું નથી.
નવજોત સિંહ સિદ્ધુને રાજનીતિમાં કોઈ ફાયદો થયો નથી. તેણે કપિલ શર્મા શો પણ છોડવો પડ્યો હતો. એટલું જ નહીં જેલ જવાની પણ નોબત આવી હતી. હવે જ્યાંથી તેમને નામના મળી હતી એ ક્ષેત્રમાં ફરીથી ઝંપલાવશે.
આ પણ વાંચો:દેહ વ્યાપારનો પર્દાફાશ/ સુરતમાં બ્યુટીપાર્લરમાં કામ અપાવવાના બહાને 15 લોકોએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી
આ પણ વાંચો:Patanjali Products/ સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ પાઠવી
આ પણ વાંચો:Animal Attacks/ ભાવનગરમાં દીપડાનો કહેર, 12 ઘેટાને ફાડી ખાધા