આજે વજન ઘટાડવા માટે લોકો જીમ જવા અને ડાયેટ કરવા જેવા અનેક પ્રયોગ કરે છે. આજે વજન ઘટાડવા ડાયેટ કંટ્રોલની સાથે સાથે નિયમિત કસરત પણ મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે. પરંતુ ઓબેસિટી જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ કહે છે કે તમે અઠવાડિયામાં માત્ર એક કે બે વાર એક્સરસાઇઝ કરીને પણ વજન ઘટાડી શકો છો. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જો તમે વીકએન્ડમાં તીવ્ર કસરત કરો છો તો તમને વજન ઘટાડવામાં એટલો જ ફાયદો મળશે જેટલો તમે રોજની કસરત કરો છો. સંશોધકોનું કહેવું છે કે તેમનું સંશોધન આ પ્રકારનું પહેલું સંશોધન છે જેમાં શારીરિક પ્રવૃત્તિની પેટર્ન અને ફેટ ટિશ્યુ માસ વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે.
સંશોધકોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિસર્ચ ભલામણને ટાંકતા લોકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ હળવી કસરત કરવી જોઈએ તેમ જણાવ્યું. જો તમે અઠવાડિયામાં 75 મિનિટ હાઈ ઈન્ટેન્સિટી ફિઝિકલ એક્ટિવિટી કરો છો તો તે યોગ્ય માનવામાં આવે છે. તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિ દરરોજ કસરત કરવાને બદલે અઠવાડિયામાં એક કે બે વાર તીવ્ર કસરત કરે છે, તો તેને સમાન લાભ મળશે.
કરાયું સંશોધન
એવા ઘણા લોકો છે જેઓ તેમના કામને કારણે એટલો સમય ફાળવી શકતા નથી. સંશોધકોએ 2011 થી 2018 દરમિયાન 20 થી 59 વર્ષની વયના 9,600 લોકો પર સંશોધન કર્યું હતું. સંશોધન દર્શાવે છે કે જે લોકો અઠવાડિયામાં માત્ર એક કે બે દિવસ કસરત કરે છે તેઓનું વજન પણ ઘટી રહ્યું છે. જેઓ એક કે બે દિવસ કસરત કરતા હતા તેઓનું વજન રોજેરોજ વ્યાયામ કરતા લોકો જેટલું જ ઘટતું હતું.
વ્યાવસાયિકોને થશે લાભ
ખાસ કરીને ઓફિસમાં કામ કરતા લોકો, બસ ડ્રાઇવરો અને લાંબા સમય સુધી બેસી રહેનારા લોકો સપ્તાહના અંતે આ પ્રકારની તીવ્ર કસરત કરવી વજનમાં ઘટાડો કરી શકે છે. વ્યાવસાયિક લોકો રોજ વ્યાયામ કરી શકતા નથી અને તેમની પાસે એટલો સમય પણ નથી હોતો કે તેઓ દરરોજ જિમ જવા માટે સમય કાઢી શકે. અમારું આ સંશોધન તેમને એક સારો વિકલ્પ આપે છે. નિષ્ણાત કહે છે કે વ્યાવસાયિક લોકો વીકએન્ડમાં દોડવા, ચઢવા, હાઇકિંગ અને સાયકલ ચલાવવા જેવી કસરતો કરી શકે છે.
ધીમે ધીમે શરૂ કરો
નિષ્ણાતો કહે છે કે જો તમારી પાસે અઠવાડિયામાં માત્ર એક કે બે કલાક જ વ્યાયામ છે, તો તમારે ધીમે ધીમે તમારી કસરતની તીવ્રતા વધારવી જોઈએ. તેને જોગિંગથી શરૂ કરો અથવા તમે ઝુમ્બા ક્લાસમાં જોડાઈ શકો છો. આ પછી ધીમે ધીમે તીવ્રતા વધારવી. ડૉક્ટર ફ્રેઝર કહે છે, ‘તમે વેઈટ ટ્રેનિંગ દ્વારા વજન ઘટાડી શકો છો. અઠવાડિયામાં બે વાર વેઈટ ટ્રેનિંગ એક્સરસાઇઝ ચયાપચયને વેગ આપે છે, જે નવા સ્નાયુઓને શક્તિ આપે છે. આ ઉપરાંત, તમારે આ માટે સારી માત્રામાં ઊર્જાની પણ જરૂર પડશે.
શું કહે છે તબીબ
તબીબોનું કહેવું છે કે વજન ઘટાડવા માટે કસરતની સાથે તમારો આહાર પણ ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે વ્યાયામ કરો છો અને તમારો ખોરાક યોગ્ય નથી તો તેની શરીર પર ખરાબ અસર પડે છે. આ સાથે જો તમે હાઈ ઈન્ટેન્સિટી એક્સરસાઇઝ નથી કરી રહ્યા તો તમારે તમારા ડાયટને તે પ્રમાણે જ રાખવો પડશે. ખોરાકમાં પોષક તત્વોનું ધ્યાન રાખો અને શરીરની જરૂરિયાત મુજબ કેલરી લો.
આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે
આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો