Entertainment News: બોલિવૂડ ફિલ્મોથી લઈને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો જાદુ દેખાડનાર અભિનેતા સયાજી શિંદે વિશેની એક ખબરે તેમના ચાહકોને પરેશાન કરી દીધા છે. અભિનેતાને છાતીમાં તીવ્ર દુખાવાને કારણે શુક્રવારે મોડી સાંજે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હત. અભિનેતાની તબિયત અંગેનું લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. સયાજી શિંદેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે. તેમજ ચાહકોનો આભાર માન્યો હતો.
અભિનેતા સયાજી શિંદેએ હૉસ્પિટલનો એક વીડિયો શૅર કરીને કહ્યું કે તેણે એન્જિયોપ્લાસ્ટી કરાવી છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘હેલો, હું હવે ઠીક છું, મારા બધા ચાહકો અને શુભેચ્છકો મારી સાથે છે. હવે ચિંતા કરવાની કોઈ વાત નથી. ટૂંક સમયમાં હું તમારું મનોરંજન કરવા ત્યાં આવીશ, આભાર.’
View this post on Instagram
સૂત્રો મુજબ અભિનેતા સયાજી શિંદેને છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો, જેના કારણે તેમને શુક્રવારે મુંબઈની સતારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોએ અભિનેતાની એન્જિયોપ્લાસ્ટી કરી હતી. કહેવાય છે કે જો બધુ બરાબર રહ્યું તો આજે સાંજ સુધીમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે સયાજી શિંદે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ ધરાવે છે. તેમણે પોતાની કારકિર્દીમાં અભિનેતા તરીકે હીરો અને વિલન બનીને નામ કમાવ્યું છે. તેમણે બિગ બ્રધર, અનખલી જેવી ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં જોવા મળ્યો છે. આ સિવાય સયાજી શિંદેએ શૂલ, રોડ, સંજુ, ગોવિંદા નામ મેરા સહિત અનેક હિન્દી, મરાઠી અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે.
આ પણ વાંચો:અમિતાભે પત્ની જયા બચ્ચન માટે ઈમોશનલ પોસ્ટ લખી, કપલ વચ્ચે કેમિસ્ટ્રી જોવા મળી!
આ પણ વાંચો:અક્ષય કુમારના નામે 6 લાખની છેતરપિંડી, પ્રોડક્શન હાઉસમાં નોકરી અપાવવાનું આપ્યું હતું વચન
આ પણ વાંચો:ઈફ્તાર પાર્ટી માટે ગયેલા મુનાવર ફારુકી પર હુમલો, ભીડે ફેંક્યા ઈંડા, ગુસ્સે થયો કોમેડિયન