ODI વર્લ્ડ કપ 2023ની તારીખ નજીક આવી રહી છે. ક્રિકેટનો મહાકુંભ કહેવાતી આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. આ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મોટાભાગના એ જ ખેલાડીઓને ટીમમાં તક મળી છે, જેઓ એશિયા કપમાં સામેલ છે. વનડે ટીમની જાહેરાત થતા જ પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે BCCI પાસે મોટી માંગ કરી હતી. સેહવાગ પોતાના બેબાક નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.
વીરેન્દ્ર સેહવાગે આ માંગ કરી
વીરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે, હું હંમેશા માનું છું કે નામ એવું હોવું જોઈએ કે તે આપણામાં ગૌરવ પેદા કરે. આપણે ભારતીય છીએ, ‘ઈન્ડિયા’ અંગ્રેજોએ આપેલું નામ છે અને આપણું મૂળ નામ ‘ભારત’ પાછું મેળવવામાં ઘણો સમય લાગ્યો છે. હું BCCI અને જય શાહને વિનંતી કરું છું કે આ વર્લ્ડ કપમાં અમારા ખેલાડીઓની જર્સી પર ભારત લખવું જોઈએ.
I have always believed a name should be one which instills pride in us.
We are Bhartiyas ,India is a name given by the British & it has been long overdue to get our original name ‘Bharat’ back officially. I urge the @BCCI @JayShah to ensure that this World Cup our players have… https://t.co/R4Tbi9AQgA— Virrender Sehwag (@virendersehwag) September 5, 2023
પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, વનડે વર્લ્ડ કપ 1996માં ભારતમાં નેધરલેન્ડ વર્લ્ડ કપમાં રમવા આવ્યું હતું ત્યારે તેનું હોલેન્ડ હતું. બાદમાં 2003માં જ્યારે તે અમારી સાથે રમ્યો ત્યારે તે નેધરલેન્ડ હતો અને તે હજુ પણ તેવો જ છે. બર્માએ અંગ્રેજોએ આપેલું નામ બદલીને મ્યાનમાર કરી દીધું છે. આ સાથે ઘણા લોકો તેમના મૂળ નામ પર પાછા ફર્યા છે.
In the 1996 World Cup ,Netherlands came to play in the World cup in Bharat as Holland. In 2003 when we met them, they were the Netherlands & continue to be so.
Burma have changed the name given by the British back to Myanmar.
And many others have gone back to their original name— Virrender Sehwag (@virendersehwag) September 5, 2023
ભારતીય ખેલાડીઓની જર્સી પર ભારત લખવું જોઈએ.
ત્યાર બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે અન્ય એક ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે ટીમ ઈન્ડિયા નહીં. ટીમ ભારત આ વર્લ્ડ કપમાં અમે કોહલી, રોહિત, બુમરાહ, જાડેજા માટે ચિયર કરી રહ્યા છીએ, તેથી આશા છે કે અમારા દિલમાં ભારત હોય અને ખેલાડીઓ ‘ઈન્ડિયા’ લખેલી જર્સી પહેરે.
Team India nahin #TeamBharat.
This World Cup as we cheer for Kohli , Rohit , Bumrah, Jaddu , may we have Bharat in our hearts and the players wear jersey which has “Bharat” @JayShah . https://t.co/LWQjjTB98Z— Virrender Sehwag (@virendersehwag) September 5, 2023
ભારતીય ટીમની જાહેરાત
ભારતીય ટીમે અત્યાર સુધી 1983માં કપિલ દેવની કપ્તાનીમાં અને 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી ભારતીય ટીમ એક પણ આઈસીસી ખિતાબ જીતવામાં સફળ રહી નથી. આ વખતે ODI વર્લ્ડ કપ 2023 ભારતની ધરતી પર યોજાવાનો છે અને તેના માટે ભારતીય ટીમ પ્રબળ દાવેદાર દેખાઈ રહી છે. ODI વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓને તક મળી છે.
આ પણ વાંચો: Botad Disupte/ આક્રોશનો પડઘોઃ બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી પણ હનુમાનજીની મૂર્તિ હટાવાઈ
આ પણ વાંચો: NEPAL/ ભારતના આ એક નિર્ણયથી પડોશી દેશ નેપાળમાં ખુશીનો કોઈ પાર નથી રહ્યો…! PM પ્રચંડે કર્યા વખાણ
આ પણ વાંચો: Botad Disupte/ આક્રોશનો પડઘોઃ બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી પણ હનુમાનજીની મૂર્તિ હટાવાઈ
