Not Set/ લખનૌ: હોટલમાં આગ લાગતાં 5 લોકો જીવતા ભુંજાયા

  લખનઉ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં મંગળવારે વહેલી સવારે એક હોટલમાં લાગેલ ભીષણ આગમાં પાંચ લોકો બળીને ભડથુ થઈ જતા ચકચાર મચી જવા પામી છે. ચાર બાગ રેલવે સ્ટેશનથી આશરે ૨૦૦ મીટરના અંતરે આવેલ આ હોટલમાં લાગેલ આગના કારણે કેટલાક લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ હજી મૃતાંક વધવાની પણ […]

Top Stories
lucknow fire લખનૌ: હોટલમાં આગ લાગતાં 5 લોકો જીવતા ભુંજાયા

 

લખનઉ

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં મંગળવારે વહેલી સવારે એક હોટલમાં લાગેલ ભીષણ આગમાં પાંચ લોકો બળીને ભડથુ થઈ જતા ચકચાર મચી જવા પામી છે. ચાર બાગ રેલવે સ્ટેશનથી આશરે ૨૦૦ મીટરના અંતરે આવેલ આ હોટલમાં લાગેલ આગના કારણે કેટલાક લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ હજી મૃતાંક વધવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

આ કરૂણ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેમણે બચાવ કામગીરી હાથ ધરી કેટલાક લોકોને બચાવી હોસ્પિટલ ખસેડ્યા છે જ્યારે હજી પણ કેટલાક લોકો હોટલમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે, જેમને સલામત રીતે બહાર કાઢવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ લખનઉના ચાર બાગ રેલવે સ્ટેશનથી આશરે ૨૦૦ મીટરના અંતરે આવેલ હોટલ વિરાટ ઈન્ટરનેશનલમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જે સમયે આ ઘટના સર્જાઈ, તે સમયે હોટલનો તમામ સ્ટાફ અને અહીં રોકાયેલ પર્યટકો નિંદ્રામાં હતા. થોડા સમય બાદ જ્યારે આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ તો હોટલની અંદર હાજર લોકો અને આસપાસના વિસ્તારમાં રહેલ સ્થાનિક લોકોને આ અંગે જાણકારી થઈ, જેથી ભાગદોડ મચી જવા પામી હતી. લોકો પોતાને બચાવવાનો પ્રયાસ કરવા માટે ભાગદોડ કરતા જાવા મળ્યા.

પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, ઘટના એક મોટા વિસ્ફોટ બાદ થઈ હતી, પરંતુ લોકો જ્યાં સુધી કંઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ. છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી આગ પર ૯૦ ટકા કાબુ મેળવી લેવાયો છે, જ્યારે હાલ ફાયર બ્રિગેડના જવાનો હોટલની અંદર અન્ય કોઈ ફસાયેલ છે કે નહીં તેની તપાસ કરી રહ્યુ છે.