વડોદરાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં કરજણમાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યાં છે. આ ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની તપાસ હાથ ધરી છે.
વડોદરાના કરજણમાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે નવાપુરાથી રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ફૂલ સ્પીડે આવતા આઈસરે કારને પાછળથી ટક્કર મારી હતી. જેમાં કારનો કારનો કચરઘાણ થઇ ગયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોતના અહેવાલ છે.
કારમા સવાર ત્રણમાંથી 2ના મોત થયા હતા, જ્યારે આઇસર ચાલકનું પણ ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ભોગ બનેલા મૃતકોની ઓળખમાં ઉકમ ભારતી, સુરેશ ભારતી તરીકે થઇ હતી.
આ પણ વાંચો:રથયાત્રામાં ઘટી દુર્ઘટના, દરિયાપુરમાં બાલ્કનીનો સ્લેબ ધરાશાયી થતા એક યુવકનું મોત
આ પણ વાંચો:અમદાવાદના દંપતી ઈરાનમાં થયું અપહરણ, રાજ્ય સરકાર અને હર્ષ સંઘવીની મદદથી ગણતરીના
આ પણ વાંચો:ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરથી નિજમંદિર જવા નીકળ્યા, તંબુચોકી પહોંચ્યા
આ પણ વાંચો:રાજકોટની રથયાત્રામાં સનાતની બુલડોઝરની બોલબાલા
આ પણ વાંચો:ભગવાન જગન્નાથ મોસાળમાં પહોંચ્યાઃ મોસાળમાં ભાવભીનું સ્વાગત અને જમણવાર શરૂ