વલસાડઃ ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે વલસાડની લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા પછી પક્ષના સીનિયર નેતોમાં નારાજગી જોવા મળી રહી છે. વડોદરામાં તો રંજન ભટ્ટને ઉમેદવાર જાહેર કરવામાં આવતા પોસ્ટર વોર ફાટી નીકળી હતી અને છેવટે રંજન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરવી પડી હતી.
હવે શું આનું પુનરાવર્તન વલસાડમાં પણ થશે. વડોદરામાં પોસ્ટર કાંડ થયો તો વલસાડ લોકસભા બેઠક માટે પત્રિકકાંડ થયો છે. ભાજપના ઉમેદવાર અંગે સોશિયલ મીડિયામાં પત્રિકા વાઇરલ થઈ હતી. ધવલ પટેલને ઉમેદવારમાં બનાવવામાં આવતા પક્ષના અનેક અગ્રણીઓ અને કાર્યકરો નારાજ થયા હોવાનો પત્રિકામાં દાવો કરવામાં આવ્યો છે અને પત્રિકામાં વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી છે.
આ બાબત અંગે ભાજપના વલસાડ જિલ્લા પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું હતું કે આ વાત તદ્દન ખોટી છે. ભાજપ એક કેડર બેઝ પાર્ટી છે. ભાજપ જ્યારે મેદવારની પસંદગી કરે છે ત્યારે બધા પાસા ચકાસીને જ ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. બને ત્યાં સુધી ઉમેદવાર પસંદ થયા પછી બદલવામાં આવતા નથી. કોઈ અસામાન્ય સંજોગો હોય તો જ બદલાય છે.
કોંગ્રેસના વલસાડ જિલ્લા પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું કે ધવલ પટેલ સુરતના રાંદેર વિસ્તારમાં રહે છે. વલસાડના લોકોની વાત જવા દો વલસાડના ભાજપવાળાને ખબર નથી કે આ ધવલ પટેલ છે કોણ. હવે ભાજપની વર્તમાન સ્થિતિ તો જગજાહેર છે, કોઈ ચૂંકે ચાર કરી શકવાનું નથી, પણ ભાજપની અંદર આ મુદ્દે ઉકળતો ચરૂ છે.
આ પણ વાંચોઃ IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ Parliament Election 2024/રંજન ભટ્ટ લોકસભા ચૂંટણી નહી લડે, સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ
આ પણ વાંચોઃ તમારા માટે/પિતાએ પુત્રીની ધામધૂમથી વિદાય લેવાની ઇચ્છા કરી પૂર્ણ, શાનદાર સ્ટેજ શણગારી આપી યાદગાર Tribute