at Surendranagar/ દસાડા તાલુકામાં ચુંવાળીયા કોળી સમાજ કોંગ્રેસથી ખફા: નવાજૂનીના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામા ભાજપા દ્વારા તળપદા કોળી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે તળપદા કોળી સમાજના આગેવાન દ્વારા ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામા આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા તથા જિલ્લામા કોંગ્રેસ પાર્ટી દ્વારા સંગઠનની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી…….

Gujarat
Beginners guide to 2024 03 28T144843.286 દસાડા તાલુકામાં ચુંવાળીયા કોળી સમાજ કોંગ્રેસથી ખફા: નવાજૂનીના એંધાણ

@પ્રિયકાંત ચાવડા

Surendrtanagar News: સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં કોંગ્રેસ દ્વારા વિવિધ હોદ્દાઓ ફાળવણી કરવામાં આવી છે જેમા દસાડા તાલુકામા ચુંવાળીયા કોળી સમાજના કોંગી કાર્યક્રમમાંથી એક પણને મહત્વની જવાબદારી હોદ્દો આપવામાં આવ્યો નથી દસાડા તાલુકામા કોંગ્રેસ પાર્ટી દ્વારા ચુંવાળીયા કોળી સમાજની ઉપેક્ષા કરવામાં આવતા કોંગ્રેસ પાર્ટીના ચુંવાળીયા કોળી સમાજના કાર્યકરો કોંગ્રેસથી નારાજ થયા છે આથી દસાડા તાલુકામા કોંગ્રેસ પાર્ટીમા ભંગાણ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લામા ભાજપા દ્વારા તળપદા કોળી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે તળપદા કોળી સમાજના આગેવાન દ્વારા ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામા આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા તથા જિલ્લામા કોંગ્રેસ પાર્ટી દ્વારા સંગઠનની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે જેમાં કોંગ્રેસના પાયાના કાર્યકર ચુંવાળીયા કોળી સમાજની ઉપેક્ષા કરવામાં આવી છે અને દસાડા તાલુકામા એક હોદ્દો કોંગ્રેસ દ્વારા ચુંવાળીયા કોળી સમાજના કોંગી કાર્યકરોને આપવામાં આવ્યો નથી આથી દસાડા તાલુકાના કોંગ્રેસ પાર્ટીના ચુંવાળીયા કોળી સમાજના કાર્યકરોમા રોષ ભભુકી ઉઠયો છે અને નજીકના દિવસોમાં દસાડા તાલુકામા કોંગ્રેસમા ગાબડુ પડે તેવા સંજોગો ઉભા થવા પામ્યા છે આ બાબતે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ ડેલીગેટ અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિક્રમ રબારીને પુછતા તેઓએ જણાવ્યું કે “આ બાબતે કોંગ્રેસ પાર્ટીના આગેવાન સાથે ચર્ચા કરવામાં આવશે તથા બેઠક બાદ નિર્ણય કરવામાં આવશે” ઉલ્લેખનીય છે કે દસાડા તાલુકામા ચુંવાળીયા કોળી સમાજના ૩૫,૦૦૦થી વધુ મતદારો છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને પાટડી શહેરી વિસ્તારમાં વધુ ભાગના કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે તેવામાં દસાડા તાલુકામા કોંગ્રેસ પાર્ટી દ્વારા ચુંવાળીયા કોળી સમાજની ઉપેક્ષા કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત

આ પણ વાંચો:યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…

આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ

આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર