Kolkata Airport: કોલકાત્તા એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં ઈન્ડિગો એરલાઈન્સનું વિમાન એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે અથડાયું હતું પરંતુ પરિસ્થિતિ જલ્દી કાબૂમાં આવી ગઈ હતી અને કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ ઈન્ડિગો એરલાઈન્સની પાંખો ઈન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટની પાંખોને સ્પર્શી ગઈ હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઘટનાની તપાસ શરૂ કરી છે. ઈન્ડિગો એરક્રાફ્ટના પાયલટોને પણ ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
એર ઈન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટ કોલકત્તાના રનવે પર એન્ટ્રીની રાહ જોઈ રહ્યું હતું. પ્રવક્તાએ કહ્યું, “અમારું એક એરક્રાફ્ટ બીજી એરલાઈનના ટેક્સી એરક્રાફ્ટની વિંગટિપ સાથે અથડાયું હતું. પ્લેન ચેન્નાઈ માટે ઉડાન ભરવાનું હતું અને રનવે પર ક્લિયરન્સની રાહ જોઈ રહ્યું હતું.
પ્રવક્તાએ કહ્યું કે પ્લેન સુરક્ષિત છે અને કોઈ મોટી ઘટના બની નથી. મુસાફરોને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. એરક્રાફ્ટ ઈન્ડિગો એરબસ A320neo (VT-ISS) અને AI એક્સપ્રેસ B737 (VT-TGG) હતા. બંને વિમાનોને નુકસાન થયું છે. ડીજીસીએએ ઈન્ડિગો એરક્રાફ્ટના પાઈલટોને ઓફ-રોસ્ટર કર્યા છે.
આવી ઘટના અગાઉ પણ બની હતી
નવેમ્બર 2023માં પણ પ્લેન સંબંધિત આવી જ ઘટના બની હતી. AAIB રિપોર્ટ અનુસાર, IndiGoનું Airbus A321 6E-2113 17 નવેમ્બર 2023ના રોજ હૈદરાબાદ માટે ઉડાન ભરી હતી. આ સિવાય અન્ય એરબસ A320 6E-2206 એ રાયપુર માટે ઉડાન ભરી હતી. 6E-2113 એ રનવે 27 થી ટેકઓફ ક્લિયરન્સ મેળવ્યું અને બપોરે 12.31 વાગ્યે ઉડાન ભરી. તેને 8000 ફૂટ સુધી લઈ જવા માટે ATC તરફથી પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન ATCને ખબર પડી કે એરક્રાફ્ટ ડાબી બાજુ જઈ રહ્યું છે અને આ રનવે 29Rનો ટેક-ઓફ રૂટ હતો.
દરમિયાન રાયપુર જતી 6E-2206ને પણ ATCની પરવાનગી મળી અને રનવે 29R પરથી ઉડાન ભરી. તેને 4000 ફૂટ સુધી જવાની મંજૂરી આપવામાં આવી હતી.6E-2206 એ એટીસીના નિયમોનું પાલન કરીને ઉડાન ભરી હતી અને આ દરમિયાન બીજું વિમાન તેની નજીક આવ્યું હતું. આ દરમિયાન ટ્રાફિક એલર્ટ રેસ્ક્યુ સિસ્ટમ સક્રિય થઈ ગઈ. આ પછી બંને પ્લેન એકબીજાથી દૂર થઈને આગળ વધ્યા.
આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે
આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે
આ પણ વાંચોઃ પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ
આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત