છોટાઉદેપુર છોટાઉદીપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના 43 વર્ષીય ભત્રીજાએ ગાંધીનગર સેક્ટર 29 માં તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ધારાસભ્ય પોતે પણ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી ગયા હતા. આ સંદર્ભે સેક્ટર -21 પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગાંધીનગરના સેક્ટર 29 માં 43 વર્ષનો પ્રતાપસિંહ પોપટસિંહ રાઠવા પરિવાર સાથે રહે છે. તેના પરિવારમાં પત્ની અને પુત્રી રહે છે. પ્રતાપસિંહ રાઠવા ગાંધીનગરના અરણ્ય ભવનમાં કારકુની તરીકે કામ કરતો હતો.
ગઈકાલે રાત્રે અજાણ્યા કારણોસર તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે જણાવ્યું કે બુધવારે સવારે તેનો મૃતદેહ રૂમમાં પંખા સાથે લટકતો મળ્યો હતો. હાલ તપાસ હાથ ધરી છે.
જોકે, રૂમમાંથી હજી સુધી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. જેના કારણે આપઘાતનું રહસ્ય અકબંધ છે. બીજી તરફ ધારાસભ્ય ખુદ માહિતી મળતા સ્થળ પર પહોંચ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે મૃતકનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું છે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.