સ્મૃતિઅંજલિ/ જૂની સંસદ ઇતિહાસ બની, પણ સંસદ માટે શહીદોનું બલિદાન ઇતિહાસ નથી બન્યુંઃ PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂની સંસદના અંતિમ દિવસ અને નવી સંસદના પહેલા સત્ર નિમિત્તે સંસદનું રક્ષણ કરતા શહીદ થયેલા જવાનોને યાદ કર્યા હતા.

Top Stories India
For Mantavya 4 1 જૂની સંસદ ઇતિહાસ બની, પણ સંસદ માટે શહીદોનું બલિદાન ઇતિહાસ નથી બન્યુંઃ PM

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂની સંસદના અંતિમ દિવસ અને નવી સંસદના પહેલા સત્ર નિમિત્તે સંસદનું રક્ષણ કરતા શહીદ થયેલા જવાનોને યાદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે 13 ડિસેમ્બર 2001ના રોજ ભારતીય Martyr Of Parliament attack સંસદ પર હુમલો થયો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે જૂની સંસદ ઇતિહાસ બની ચૂકી છે, પરંતુ આ સંસદની રક્ષા કરવા જતા શહીદ થયેલા શહીદોનું બલિદાન ઇતિહાસ બન્યું નથી. નવી સંસદમાં પણ તેમની શહીદી યાદ રાખવામાં આવશે.
સંસદ પર હુમલામાં પાંચ જવાન, CRPFની મહિલા સિક્યોરિટી ગાર્ડ અને રાજ્યસભાના બે કર્મચારી અને એક માળીનું મોત થયું હતું. તેમા સૌપ્રથમ શહીદ થનારી જવાન સીઆરપીએફની મહિલા કોન્સ્ટેબલ કમલેશ કુમારી હતી. તેમણે Martyr Of Parliament attack સૌપ્રથમ આતંકવાદીઓને જોયા હતા અને એલાર્મ વગાડી દીધુ હતુ. તેના પગલે તરત જ સુરક્ષા દળો સાબદા થઈ ગયા હતા. આતંકવાદીઓએ તરત જ તેને શૂટ કરી દીધી હતી અને તેનું ઘટનાસ્થળે નિધન થયું હતું. તેના પગલે સાબદા થયેલા દળોએ આત્મઘાતી બોમ્બરને ઠાર કર્યો હતો. બીજા ચાર આતંકવાદી પણ મૃત્યુ પામ્યા હતા. પ્રધાનો અને સાંસદોને ઇજા થઈ ન હતી.

આ હુમલો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના આતંકવાદીઓએ કર્યો હતો. આ હુમલામાં દિલ્હી પોલીસના છ, સંસદ સુરક્ષા સેવાના બે અને એક માળીનુ મૃત્યુ થયું હતું. આમ સંસદ પર હુમલામાં કુલ નવના મોત થયા હતા. સુરક્ષા દળોએ પાંચેય આતંકવાદીઓને સંસદની બહાર ખતમ કર્યા હતા.
આ હુમલો કંઈ સામાન્ય હુમલો ન હતો. ભારતીય સંસદના ઇતિહાસમાં પહેલી જ વખત સંસદ પર હુમલો થયો હતો. આ હુમલાના લીધે ભારત-પાકના સંબંધમાં મડાગાંઠ પડી ગઈ હતી, જેની અસર આજે પણ ચાલુ છે. આમ Martyr Of Parliament attack કારગિલના બનાવ પછી પાકિસ્તાન સાથેનો સંબંધોમાં આ બીજો મોટો ફટકો હતો. ભારતના તે સમયના ઉપરાષ્ટ્રપતિ ક્રિષ્નકાંતની કાર તે સમયે સંસદીય ભવનમાં જ હતી. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ પણ તે સમયે સંસદમાં જ હતા.

વાઇસ પ્રેસિડેન્ટના સિક્યોરિટી ગાર્ડ અને સુરક્ષા દળોએ તરત જ વળતો ગોળીબાર કરીને ગેટ બંધ કર્યા હતા. આવો જ હુમલો જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં 2001ના રોજ થયો હતો અને તેમા 38ના મોત થયા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ આતંકવાદીઓને પાકિસ્તાનની આઇએસઆઇમાંથી દિશાનિર્દેશો મળતા હતા.
ઉલ્લેખનીય છે કે જૂની સંસદ બનવાનો પ્રારંભ 1921માં થયો હતો અને તે 1927માં છ હેકર જમીન પર બનીને તૈયાર થઈ હતી. તેના ડિઝાઇનલ એડવિન લુટિયન્સ અને હર્બટ બેકર હતા. તેનું જૂનું નામ કાઉન્સિલ હાઉસ હતું. અહીં Martyr Of Parliament attack બંધારણ સભાની પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ થઈ હતી. જ્યારે ભારતના સત્તા હસ્તાંતરણ 15 ઓગસ્ટ 1947ના રોજ થયું હતું. 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણને અપનાવાયું હતું. લોકસભા-રાજ્યસભાની પહેલી બેઠક 13 મે 1952ના રોજ થઈ હતી. પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ 1963માં આવ્યો હતો.પ્રથમ સત્ર 1952માં યોજાયું હતું અને અંતિમ સત્ર 2023માં યોજાયું હતું.

સંસદની 75 વર્ષની સફરમાં જોઈએ તો તેમા લોકસભાના અત્યાર સુધીમાં 5,047 સભ્યો ચૂંટાયા છે. જ્યારે રાજ્યસભાના 2,418 સાંસદ ચૂંટાયા છે. રાજ્યસભામાં અત્યાર સુધી 142 સભ્યો નોમિનેટ થયા છે. અત્યાર સુધી 10.44 લાખ વખત ચર્ચા થઈ છે, 10.12 લાખ વખત સવાલ પૂછાયા છે. 6,473 વખત લોકસભાની બેઠક થઈ છે. 5,606 વખત રાજ્યસભાની બેઠક થઈ છે. 3,914 બિલ પાસ થયા છે. 17 લોકસભા સ્પીકર બન્યા છે. 14 રાષ્ટ્રપતિ બન્યા છે. સંસદમાં અત્યાર સુધી 41 વિદેશી નેતા ભાષણ આપી ચૂક્યા છે. 40 વખત વિશ્વાસનો મત પસાર કરાયોછે. ત્રણ વખત સંસદનું સંયુક્ત સત્ર યોજાયું છે. 990 સંસદીય ચર્ચામાં વડાપ્રધાન હિસ્સો બન્યા છે. 171 વખત સંસદને રાષ્ટ્રપતિએ સંબોધી છે. 91 વખત બજેટ રજૂ કરાયું છે.

આ પણ વાંચોઃ Visavadar rain/વિસાવદરમાં વરસાદે વિસામો જ ન લીધોઃ દસ ઇંચ ખાબક્યો

આ પણ વાંચોઃ આણંદ/મહીસાગર નદી ગાંડીતૂર બની, કહાનવાડી ગામમાં 50 અને ગંભીરા ગામમાં 17નું રેસ્ક્યુ કરાયું, જુઓ Video

આ પણ વાંચોઃ અમદાવાદ/સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ

આ પણ વાંચોઃ વરસાદ/ગુજરાતના 186 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,ગોધરામાં 9 ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર/એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે