ભરૂચ,
ભરૂચ ઝગડિયામાં નરહરિની ચાલીનાં એક મકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી હતી ..આગમાં એક અપંગ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રથામિક તપાસમાં બહાર આવ્યું છે.
ઘરમાં લાગેલી આગમાં ઘરમાં રહેલા અપંગ બાળક પણ બળીને ભડથું થઇ ગયું હતું.
માતા પિતા ચાની લારી ચલાવતા હોવાથી વહેલી સવારે ધંધાર્થે બહાર ગયા હતા. ત્યારે ઘરમાં અચાનક આગ લાગી હતી.
આગમાં ઘરવખરીના સામાન પણ બળીને ખાખ થઇ ગયા હતા.
ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવ્યો હતો…પોલીસે ઘટના સ્થળે પહોચીને આગની કાર્યવાહી હાથધરી હતી