- બેંગલુરુમાં પાણીની અછત
- મુખ્યમંત્રી પણ ટેન્કર ભરોસે
- લોકો ખાવા માટે હોટલના સહારે
- 10,995 બોરવેલ માંથી 3700 સુકાઈ જવાના આરે
- લોકો ટેન્કરનાં 3000 રૂપિયા સુધી ચૂકવવા તૈયાર
બેંગલુરુમાં કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના ઘરનો બોરવેલ સુકાઈ ગયો છે.પાણીનું એક ટેન્કર પણ મુખ્યમંત્રીના નિવાસસ્થાને જતું જોવા મળ્યું હતું.આમ સરકારમાં સર્વોચ્ચ હોદ્દા પર બેઠેલા બે નેતાઓની હાલત જોઈને સામાન્ય લોકોની મુશ્કેલીઓની કલ્પના કરવી સૌથી સરળ છે.હજુ ઉનાળાની સિઝન શરૂ પણ નથી થઈ અને દેશના IT હબ બેંગલુરુમાં 30% બોરવેલ સુકાઈ ગયા છે. ભૂગર્ભ જળ 1800 ફૂટ નીચે ગયું છે.અને પાણીના ટેન્કરના ભાવ બમણા થઈ ગયા છે, તે પણ ઘણી વિનંતીઓ પછી જ ઉપલબ્ધ છે. બેંગલુરુએ તેના 500 વર્ષના ઈતિહાસમાં ક્યારેય પીવાના પાણીની આટલી મોટી કટોકટીનો સામનો કર્યો નથી.પાણીની અછતને કારણે લોકોએ રેસ્ટોરાંમાંથી ખાવાનું મંગાવવાનું શરૂ કરી દીધું છે.ગરમી વધ્યા બાદ પણ તેમને નહાવાનું આયોજન કરવું પડે છે. ચોમાસાના આગમનને હજુ ત્રણ મહિના બાકી છે.જો પાણીનો કોઈ ઉકેલ ન મળે તો લોકોની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે તેમ છે.
ભારતની સિલિકોન વેલી બેંગલુરુ જળ સંકટનો સામનો કરી રહ્યું છે.સરકાર પાણી બચાવવા માટે પગલાં લઈ રહી છે.તો પીવાના પાણીથી વાહનો ધોવા અને છોડને પાણી આપવા પર પ્રતિબંધ છે. શહેરના સ્વિમિંગ પુલ પણ બંધ છે અને નિયમોનો ભંગ કરવા પર પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે.શહેરના 1.4 કરોડ લોકો પણ પાણી બચાવવા માટે નવી પદ્ધતિઓ અજમાવી રહ્યા છે. મધ્ય બેંગલુરુમાં સ્થિતિ વધુ ખરાબ છે. એપાર્ટમેન્ટમાં રહેતા લોકો દરરોજ સ્નાન કરી શકતા નથી.તેઓ વોશરૂમ જેવી જરૂરિયાતો પૂરી કરવા માટે શોપિંગ મોલના ચક્કર લગાવી રહ્યા છે.અને ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગની માંગ વધી છે. જે લોકો ઘરે રસોઈ બનાવી રહ્યા છે તેઓ ડિસ્પોઝેબલ પ્લેટ અને ગ્લાસનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી તેમને વાસણો ધોવા ન પડે.બીજી તરફ શહેરમાં ટેન્કર માફિયાઓએ પાણીના ભાવમાં વધારો કર્યો છે. એક સપ્તાહ પહેલા સુધી 2000 રૂપિયામાં મળતા પાણીના ટેન્કરની કિંમત રૂપિયા 5000ને વટાવી ગઈ છે.
ત્યારે બેંગલુરુમાં પાણીની અછતથી લોકોના રોજિંદા જીવનને અસર થવા લાગી છે.જે ઉદ્યોગોને પાણીની જરૂર છે તે બંધ છે.બીજી તરફ આઇટી ઉદ્યોગને પણ અસર થવા લાગી છે અને કર્મચારીઓએ ઘરેથી કામ કરવાની માંગ શરૂ કરી છે. સેન્ટ્રલ બેંગલુરુમાં ઘણી શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ કરવાની સલાહ આપવામાં આવી છે. સ્થિતિ એવી છે કે લોકો પીવાના પાણીના આ સંકટની સરખામણી કોવિડ યુગ સાથે કરવા લાગ્યા છે.કેઆર પુરમની એક મહિલાએ કહ્યું કે બેંગલુરુમાં તાપમાન સતત વધી રહ્યું છે, તેમ છતાં લોકો પાણી બચાવવા માટે દરરોજ નહાતા નથી.શહેરના રાજાજી નગર, ચિક્કાપેટે, બોમ્મનહલ્લી, રામમૂર્તિ નગર, મરાઠાહલ્લી અને બાપુજી નગરના ઢાબા પર પાણી મળતું બંધ થઈ ગયું છે. હોટલોમાં પણ ડિસ્પોઝેબલ પ્લેટમાં ભોજન પીરસવામાં આવી રહ્યું છે.
બેંગલુરુને મુખ્યત્વે બે સ્ત્રોતોમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે કાવેરી નદી અને બીજુ ભૂગર્ભ જળ. સામાન્ય દિવસોમાં 145 કરોડ લિટર કાવેરી પાણી અને 55 કરોડ લિટર ભૂગર્ભ જળનો સપ્લાય થાય છે.વરસાદના અભાવે બેંગલુરુમાં 50 ટકા બોરવેલ સુકાઈ ગયા છે.અને ભૂગર્ભ જળ 1800 ફૂટ નીચે આવી ગયું છે.ત્યારે 262 તળાવોમાંથી માત્ર 82માં જ પાણી બચ્યું છે.અને હાલમાં માંગ કરતાં 20 કરોડ લિટર ઓછું પાણી આપવામાં આવી રહ્યું છે. બેંગલુરુને આગામી 5 મહિના માટે 8-9 TMC પાણીની જરૂર છે. પાગેયલ સંકટને કારણે કર્ણાટકનું રાજકારણ પણ ગરમાવા લાગ્યું છે. ઘણા વિસ્તારોમાં લોકો પાણી માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા.રાજ્યના વિવિધ ભાગોમાં બીજેપી કાર્યકર્તાઓ દરરોજ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.જ્યારે રાજ્ય સરકાર કેન્દ્ર પર અસહકારનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે કેન્દ્ર સરકાર દુષ્કાળગ્રસ્ત કર્ણાટકને આર્થિક મદદ કરી રહી નથી.
આપને જણાવી દઈએ કે બેંગલુરુમાં દરરોજ લગભગ 200 કરોડ લિટર પાણીનો વપરાશ થાય છે.જેમાંથી 145 કરોડ લિટર કાવેરી નદીમાંથી આવે છે અને લગભગ 55 કરોડ લિટર બોરવેલથી આવે છે.બેંગલુરુ જલ નિગમે શહેરમાં 257 સૂકાં સ્થળોની ઓળખ કરી છે, જ્યાં પીવાના પાણીની અછત છે. તેમાં મહાદેવપુરા, આરઆર નગર, બોમ્મનહલ્લી, યેલાડંકા અને દસરડલ્લી વિસ્તારનો સમાવેશ થાય છે.નબળા ચોમાસાને કારણે કાવેરી નદી અને બેંગલુરુ શહેરના ભૂગર્ભ જળનું જળસ્તર સતત ઘટી રહ્યું છે અને દરરોજ લગભગ 20 કરોડ લિટર પાણીની અછત વર્તાઈ રહિ છે.જલ નિગમ અનુસાર, શહેરમાં 10,995 બોરવેલ છે. જેમાંથી 3700 સુકાઈ જવાના આરે છે અને 1214 સાવ સુકાઈ ગયા છે.ઘણી જગ્યાએ નવા બોરવેલ ખોદવા માટે સૂચના પણ આપી છે.અનેતમામ બહુમાળી ઇમારતોના રહેવાસીઓને અડધી ડોલ પાણીમાં નાહવા અને અડધી ડોલથી શૌચાલય સાફ કરવાની સૂચના આપી છે
ત્યારે હાલ પાણીની તંગી ટેન્કરો દ્વારા પૂરી કરવામાં આવી રહી છે.અને માગમાં વધારાને કારણે તેમની કિંમતો પણ બમણી થઈ ગઈ છે. અગાઉ એક ટેન્કરની કિંમત 500-700 રૂપિયા હતી. હવે તેની કિંમત 1500 રૂપિયાને પાર કરી ગઈ છે.ટેન્કર સંચાલકોના જણાવ્યા મુજબ ઘણી વખત લોકો રસ્તામાં ટેન્કરને રોકે છે અને 3000 રૂપિયા સુધી ચૂકવવા તૈયાર હોય છે.ઘણા લોકો કહે છે કે તેઓ 3 દિવસ પાણી વિના જીવે છે ત્યારે ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું છે કે, ‘શહેરના 3000 બોરવેલની જેમ તેમના ઘરનો બોરવેલ પણ સુકાઇ ગયો છે..શહેરના તમામ ટેન્કરોનો કબજો લઇ રહ્યા છે. અમે પાણીની અછતને દૂર કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરીશું.
ત્યારે હવે આપને જણાવી દઈએ કે બેંગલુરુ આ સ્થીતિએ કઈ રીતે પહોચ્યું. તો બેંગલુરુ એક હિલ સ્ટેશન જેવું છે અને સમુદ્રની સપાટીથી તેની ઉંચાઈ 920 મીટર છે.ભારતની 98% વસ્તી આના કરતાં ઓછી ઊંચાઈ પર રહે છે. 1961 સુધીમાં, બેંગલુરુમાં 262 તળાવો હતાં અને તેનો70% વિસ્તાર હરિયાળીથી ઢંકાયેલો હતો. તેથી જ તેને ગાર્ડન અને લેક સિટી પણ કહેવામાં આવતું હતું.પરંતું હવે માત્ર 81 તળા વો બચ્યા છે અને તેમાં માત્ર 3 ટકા જ હરીયાળી બચી છે… 94 ટકા વિસ્તારોમાં કોંક્રિટના જંગલો આવેલા છે.
તો બેંગલુરુ શહેરની આસપાસની નદીઓ, જેમ કે વૃષભવતી, અરકાવતી, દક્ષિણ પિનાકિની અને ચિન્નાર નાળાઓમાં ફેરવાઈ ગઈ છે. શહેરનું 70% પાણી હાલમાં કાવેરી નદીમાંથી આવે છે.200 કિમીની આ સફર ૩ સ્ટેપમાં થાય છે.1 કાવેરી નદીમાંથી પાણી વાળીને 95 કિમી દૂર શિવણ સમુદ્રમાં લાવવામાં આવે છે.2. અહીંથી 11 કિમી દૂર ટીકે હલ્લી સુધી પાણી પહોંચાડવા માટે પાઈપલાઈનનો ઉપયોગ કરવામાં આવે છે અને 3 સારવાર પછી, તેને પમ્પિંગ સ્ટેશન દ્વારા 85 કિમી દૂર બેંગલુરુ મોકલવામાં આવે છે.
એક્સપર્ટના મત પ્રમાણે બેંગલુરુના વિસ્તરણ અને પાણીના વધુ પડતા ઉપયોગને કારણે આવી સ્થિતિ સર્જાઈ છે.બેંગલુરુમાં 10 વર્ષ પહેલાં ભૂગર્ભ જળ 250 ફૂટ ઉપલબ્ધ હતું, હવે તે 1800 ફૂટ પર પહોંચી ગયું છે. ભૂગર્ભ જળ રિચાર્જનું તંત્ર કથળી ગયું છે.નિષ્ણાતોનું માનવું છે કે 1980 અને 1990ના દાયકામાં 200 કિલોમીટર દૂર આવેલી કાવેરી નદીમાંથી પાણી લાવવાના પ્રયાસો શરૂ થયા હતા. આ માટે ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા.બીજી તરફ શહેરનાં તળાવોને બાયપાસ કરવામાં આવ્યાં હતાં. બિલ્ડરોએ તેમના પર ઈમારતો બનાવી અથવા તે પ્રદૂષિત થયા.પંરતું જો તળાવો સારી સ્થિતિમાં હોત તો કદાચ શહેરની સ્થિતિ આટલી ખરાબ ન હોત
ત્યારે બેંગલુરુ મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટીના ચીફ કમિશનર તુષાર ગિરિનાથના જણાવ્યા અનુસાર, ‘કાવેરી પ્રોજેક્ટનો તબક્કો-5 એપ્રિલ 2024થી શરૂ થઈ રહ્યો છે.જેમાં દરરોજ 5-10 કરોડ લિટર પાણીનું પમ્પિંગ શરૂ થશે.ધીમે ધીમે તેને વધારીને 30 કરોડ અને પછી 75 કરોડ લિટર કરવામાં આવશે.નિષ્ણાતો માને છે કે આગામી 3 મહિનામાં ચોમાસાના આગમન સાથે અને કાવેરી પ્રોજેક્ટના 5મા તબક્કાની શરૂઆત સાથે આ જળસંકટ દૂર થઈ જશે, પરંતુ આ લાંબા ગાળાનો ઉકેલ નથી. શહેરના ઝડપી વિસ્તરણ સાથે આ પ્રોજેક્ટ પણ 2029 સુધીમાં અપૂરતો બની જશે.તો બીજી તરફ UNના એક રિપોર્ટ અનુસાર, 2025 સુધીમાં ભારત ભૂગર્ભ જળના જોખમની ટોચ પર પહોંચી જશે.જ્યાં સાઉદી અરેબિયા જેવા દેશો ઊભા છે…ભારતમાં 76% લોકો હાલમાં ગંભીર જળસંકટમાંથી પસાર થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃરાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું
આ પણ વાંચોઃસુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો
આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે