Sports News: IPLને શરૂ થવામાં થોડા જ દિવસ બાકી છે. જ્યારે પ્રથમ મેચ 22 માર્ચે રમાશે. ચેન્નઇમાં પહેલી મેચમાં RCB અને CSK ની ટીમ ટકરાશે. ત્યારે 5 વખતની IPL ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સ પણ તૈયારી શરૂ છે. બધા ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આ વખતે ટીમનુ નેતૃત્વ હાર્દિક પંડ્યાના હાથમાં જશે. હવે આગામી સિઝનના 4 દિવસ પહેલા જ હાર્દિક પંડ્યાએ MIના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને લઇને મોટુ નિવેદન આપ્યુ છે.
વર્ષ 2013માં રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન બન્યો હતો અને એ સમયે અડધી મેચ થયા બાદ મુંબઇ ઇન્ડિયન્સનુ નેતૃત્વ રોહિતને સોંપી દેવામાં આવ્યુ હતુ. આ પહેલુ વર્ષ હતુ જ્યારે IPLનું ટાઇટલ એમના નામે કર્યુ હતુ. ત્યારથી લઇને વર્ષ 2023 સુધી 5 વખત ટ્રોફી જીતી હતી અને દરેક વખતે કેપ્ટન રોહિત શર્મા હતા. IPL માં માત્ર બે જ કેપ્ટન IPLનું ટાઇટલ પોતાના નામે કર્યુ હતુ. એમાં રોહિત અને એમ.એસ ધોનીનું નામ છે. પણ આ વખતે આશ્ચર્યજનક રીતે રોહિત શર્માને હટાવીને તેની જગ્યાએ હાર્દિક પાંડ્યાને કેપ્ટન બનાવાયો છે.
હાર્દિક પાંડ્યાએ રોહિત શર્માને લઇને કહ્યું કે, એ મારી મદદ માટે હંમેશા હાજર રહેશે. વધુ જણાવતા કહ્યું કે, આ ટીમે કંઇ પણ મેળવ્યુ છે એ રોહિત શર્માના નેતૃત્વમાં મેળવ્યુ છે. હવે મારે એને આગળ લઇને જવાનું છે. હાર્દિક પંડ્યાએ આશા વ્યકત કરી કે રોહિત ભારતીય ટીમના કેપ્ટન છે અને તેમની મને મદદ મળશે.
આ પણ વાંચો:Bihar/ બિહારમાં લોકસભાની ચૂંટણી પહેલા NDA બેઠકોનું થયું વિભાજન…
આ પણ વાંચો:જામનગરની નામચીન ગેંગની ગેરકાયદે પચાવી પાડેલી મિલકતો ધ્વસ્ત
આ પણ વાંચો: ઐયાસ પુત્રવધૂ/ઐયાશ પુત્રવધુએ સાસુસસરાની જિંદગી નર્ક બનાવ